ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂપિયા પડાવવા માટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને કંટાળી ગયેલ આધેડે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (50)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તાલુકો માળીયા અને રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. લાભદિપ સોસાયટી શેરી-3 રાજકોટ વાળાની  સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના પતિ ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (50)ને આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખાએ બળજબરી કરી જમીનનુ 23.23 લાખનું સાટાખત કરાવી લીધેલ હતું અને સાટા ખત પેટે 10 લાખ ચેકથી આપેલ હતા અને વ્યાજ પેટે પાંચ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવ્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટાએ ફરીયાદીના પતિને પ્રોમીસરી નોટ લખાવી 20 લાખ આપી તેનુ વ્યાજ 10 ટકા લેખે લેતા હતા જેથી કરીને 24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપ્યા હતા છતા ફરિયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી હતી અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી કરીને બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ 108, 308, 351 (3) ગુજરાત નાણા ધીરધાર કલમ 40, 42 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News