મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી


SHARE













પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી

મોરબી સહિત ગુજરાતમાં શિયાળામાં જેમ ઠંડી વધે છે તેમ ચોરીની ઘાટનો પણ વધે છે તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નાના દહિસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધેલ છે અને એકી સાથે એક કે બે નહીં સાત મકાનોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે તસ્કરોએ ખુલ્લો પડકાર ફેંકીને પોલીસ તેમજ સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારની રાતે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરો નાઈટ પેટ્રોલીંગમાં હોય તેવો ઘાટ સર્જાયો છે કેમાં કે એક જ રાતમાં તસ્કરોએ સાત મકાનના તાળાં તોડેલ છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાવા મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નાના દહીંસરા ગામે તસ્કરોએ સાત જેટલા બંધ મકાનના તાળા તોડી નાની મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જો કે, જે મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે તેમાંથી મોટાભાગના લોકો મોરબીમાં રહે છે જેથી કરીને તેના મકાન બંધ હોય છે અને આ બંધ મકાનમાં ચોરીઓ કરવામાં આવેલ છે જેથી અગાઉ કામમાં રેકી કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને જે રીતે માળીયા તાલુકામાં તસ્કરોએ ધામા નાખેલ છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં મકનસર ગામે પણ તસ્કરોએ ધામા નાખેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News