મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન


SHARE













મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન

મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા નવા વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે આગળ વધવા માટે નવ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે આગામી તા 29/12 ને રવિવારના રોજ રાખવામા આવેલ છે. ત્યારે સ્નેહ મિલન સાથે રમતોત્સવ, તેજસ્વીતા સન્માન અને વાર્ષિક સમારોહ પણ રાખવામા આવેલ છે.

મોરબીમાં કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યો કરવામાં આવે છે ત્યારે કૈલા પરિવારના ઉત્થાનના સંકલ્પ સાથે મોરબી શહેર કૈલા પરિવાર ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાળકોની રમત ગમત માટે બપોરે 2 થી 4 સુધીનો સમય રાખેલ છે ત્યાર બાદ આશીર્વચન 4 થી 4:30, તેજસ્વીતા સન્માન સાંજે 4:30 થી 5:30 અને રાસ ગરબા 5:30 થી 6:30 સુધી રાખવામા આવેલ છે ત્યાર બાદ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ માટેના દાતા ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ કૈલા, દિપકભાઈ હરજીભાઈ કૈલા, કિરીટભાઈ ગાંડાલાલ કૈલા, લલીતભાઈ નારણભાઈ કૈલા, રતીલાલભાઇ માવજીભાઈ કૈલા, શંકરભાઇ રાઘવજીભાઈ કૈલા, હંસરાજભાઈ જેરામભાઈ કૈલા, જીતુભાઈ & ચેતનભાઈ કૈલા. ડો. ભરતભાઈ કૈલા અને ડો. વિનોદભાઈ કૈલા, બચુભાઈ રણછોડભાઈ કૈલા અને સંજયભાઈ કૈલા, ભીખાભાઈ મહાદેવભાઈ કૈલા અને પ્રભુલાલ હરજીવનભાઈ કૈલા છે વધુ માહિતી માટે દિનેશભાઈ (9737502222), ભાવેશભાઈ (માસ્તર) (8866630937) અને અમિતભાઈ (9974422200) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News