ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો


SHARE







માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

મોરબી જિલ્લાના મોટા દહિંસરા ગામે તાલુકા શાળા તથા ગૃપ શાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલ સનાતન હોટલ ખાતે રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો હતા અને તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા(મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ છે અને ગૃપના તમામ શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા  તમામ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઇ હુંબલે વિશેષ જહેમત ઊઠાવેલ હતી. અને કાર્યક્રમનું સંચાલન નાના દહિંસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ કરેલ હતું.






Latest News