મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નવુ ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર


SHARE







મોરબીમાં નવુ ટુથ્રી અને ફોર વ્હીલર વાહન ખરીદનારને પાલિકામાં ભરવો પડશે વાહન કર

મોરની પાલિકા અને સરકાર દ્વારા લોકોની પાસેથી અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવે છે તેવામાં મોરબી પાલિકાએ નવું વાહન લેનારા વ્યક્તિ પાસેથી વાહન કર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવું વાહન લેનારે 3 થી 7 ટકા સુધીનો વાહન કર પાલિકામાં આપવો પડશે જો કે, હાલમાં લોકોના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ છે પરંતુ આગામી દિવસોએમાં તેની અમલવારી થાય તેવી પણ શ્કાયતા છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરએ મોરબીના લોકો પાસેથી વાહન કર માટે વાંધા સૂચનો મંગાવ્યા છે અને તેમાં જણાવ્યુ છે કે, વાહનકર વસુલી લેવાનું ADM ઠરાવ નં-107 તા.12/11/2024 થી નક્કી કરવામાં આવ્યું છે અને આ બાબતે જો કોઈને વાંધો હોય તો પાલિકાએ તા 21/11/24 રોજ જાહેરાત પ્રસિધ્ધી કરી હતી તેના 30 દિવસમાં પાલિકાના ઈન્વર્ડ વિભાગમાં આધાર પુરાવા સાથે વાંધા સુચનો આપવા માટે જણાવ્યુ છે. અને આ આવા વાહન કરની વસૂલાત માટેની સંપુર્ણ જવાબદારી ડીલર, વિક્રેતા, એજન્સી કે કંપનીના ડીલરની રહેશે. અને દરેક ડીલરોકોઈપણ વાહનનું વેચાણ થાય તેની માહિતી દર મહિનાની 1 થી 10 તારીખમાં આપવાની રહેશે. અને આ નવ કરમાંથી એમ્બ્યુલન્સ, શબવાહીની, અંતિમયાત્રા પ્રાણીઓ દ્વારા ચાલતા વાહનો અને બોર્ડ-નિગમોના વાહનોને તેમજ બેટરી સંચાલીત વાહનો અને દિવ્યાંગ વ્યકિતઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનને મુકતી આપવામાં આવેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ ટુ વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 3 થી લઈને 4 ટકા, થ્રી વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 4 થી 6 ટકા અને ફોર વ્હીલર માટે જુદીજુદી કિંમત મુજબ 5 થી 7 ટકા સુધીનો વાહન કર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના માટે લોકોના વાંધા સૂચનો માંગવવામાં આવ્યા છે. 






Latest News