સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત


SHARE











માળીયા (મી)ના સરવગામે વાડીદવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત

માળીયા મિયાણા તાલુકાના સરવગામે વાડીમાં દવાનો છંટકાવ કરતા સમયે ભાઈ અને ભાભીની સાથે કામ કરી રહેલ સગીરાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાર બાદ એમપી સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામની સીમમાં ભલાભાઇ રમેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ તથા તેના પત્નીની સાથે રાકેશભાઈની બહેન અનિતા શોભારામ ડામોર (15) વાડીમાં દવાનો છંટકાવ કરવાનું કામ કરી રહી હતી ત્યારે અનિતા ડામોરને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તેને મધ્યપ્રદેશના રતલામ ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં કબીર ટેકરી પાસે રામાપીરના મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સિકંદર યુનુસભાઈ ચાનિયા (28) નામના યુવાનને ઇજા થયેલ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.






Latest News