મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ કયુટોન સીરામીક કારખાને સામે ઝૂંપડામાં રહેતા રાયધનભાઈ બચુભાઈ ચાડમીયા (27) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, ઢુવા નજીક આવેલ ફેવરિટ પ્લસ કારખાના પાછળ મેલડી માતાજીના મંદિર સામે પાણીના વોંકળામાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનોનો મૃતદે પડ્યો છે અને કોઈ પણ કારણોસર પગ લપસવાના કારણે પાણીમાં તે યુવાન પાણીમાં ડૂબી ગયો હોય તેવી લાગી રહ્યું છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News