મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં


SHARE











હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં

હળવદના તાલુકના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં માતા અને તેના બે બાળકો ટ્રેનની હડફેટે ચડી ગયા હતા જેથી બે બાળકના મોત નિપજ્યાં છે અને માતાને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચેથી સોમવારે બપોરે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા તેના ત્રણ સંતાનોની સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે માલગાડીની હડફેટે ચાલી જવાથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગોપીબેન દશરથભાઈ બજાણીય (5) અને નિકુલ દશરથભાઈ બજાણીયા (3) ને ગંભરી ઇજા થવાથી તે બંને બાળકના મોત થયેલ છે અને મંગુબેન દશરથભાઈ બજાણીયાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર મ્માત્તે  મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવમાં એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયેલ છે. આ બનાવની જાણ થાય રેલ્વે અને હળવદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. 






Latest News