મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં


SHARE











હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં

હળવદના તાલુકના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં માતા અને તેના બે બાળકો ટ્રેનની હડફેટે ચડી ગયા હતા જેથી બે બાળકના મોત નિપજ્યાં છે અને માતાને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચેથી સોમવારે બપોરે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા તેના ત્રણ સંતાનોની સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે માલગાડીની હડફેટે ચાલી જવાથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગોપીબેન દશરથભાઈ બજાણીય (5) અને નિકુલ દશરથભાઈ બજાણીયા (3) ને ગંભરી ઇજા થવાથી તે બંને બાળકના મોત થયેલ છે અને મંગુબેન દશરથભાઈ બજાણીયાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર મ્માત્તે  મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવમાં એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયેલ છે. આ બનાવની જાણ થાય રેલ્વે અને હળવદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. 






Latest News