મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું

ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં  થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો મળતા નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને તા 9/12 ના રોજ મોટા ભેલા ગામે  ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા (પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ), ડો. લખમણભાઈ કણઝારીયા (મહામંત્રી R.G.P.R.S.), મુળુભાઈ ગોહેલ (સરપંચ) સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.






Latest News