સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો


SHARE











મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો

મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ગૌશાળા મેલડી માતાજીના મંદિર ખાતે જય શ્રી ગૌશાળા મેલડી માતાજીનો હરખનો માંડવો યોજવામાં આવેલ છે. તા.૭ ના રોજ સાંજે મહાપ્રસાદ રાતે ડાક ડમરનો કાર્યક્રમ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ગૌશાળા વાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાશે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ ૭ ને શનિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે થાંભલી રોપણ બાદ ભૂવાઓના સામૈયા અને સાંજે છ વાગ્યે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાત્રિના ૯:૩૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં હકુભાઈ માલણીયાત, સાગરભાઇ માલણીયાત, કિશનભાઇ માલણીયાત તથા વિશાલભાઈ માલણીયાત ડાક ડમરની રમઝટ બોલાવશે.સર્વે શ્રદ્ધાળુઓને મંદિરના પૂજારી પ્રભુભાઈ મજેઠીયા તેમજ સેવક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News