મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો


SHARE







ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો 

ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો નોંધાયેલ હતો જેમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને બંને શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો વર્ષ 1998 માં નોંધાયેલ હતો જે ગુનામા મોરબીમા રહેતા ભાવિન શુકલ તથા અમદાવાદના રહીમખાન જમાલખાન નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ટંકારા પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. આ લુટ તથા ધાડનો કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ સાહેદો તથા પુરાવાઓ તપાસવામા આવ્યા હતા અને સરકારી વકીલ તથા આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે બંને આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કામે આરોપી તરફથી મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News