ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત


SHARE











મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન નશાની હાલતમાં લેબર કવાટરની છત ઉપર ચડ્યો હતો અને બાદમાં નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોય તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી નામનો ૨૭ વર્ષનો યુવાન તા.૧૦ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં યુનિટના લેબર કવાટરમાં છત ઉપર ચડ્યો હતો અને નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોવાથી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયુ હતું.મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડાતા ત્યાં પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી. અને તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા હબીબભાઈ અલ્લારખા ભટ્ટી (ઉમર ૬૦) તથા નવાબ રમજાનભાઈ કાજડીયા (ઉંમર ૧૭) નામની બે વ્યક્તિઓને તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યે ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી ૧૦૮ વડે આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે.હોસ્પિટલ ખાતેથી આ બાબતે યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

પરણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર નજીક મફતપરા વિસ્તારમાં રહેતા શીલાબેન ટપુભાઈ મારવાણીયા નામની ૪૦ વર્ષિય મહિલાને તા.૧૦ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી શીલાબેનને સિવિલે સારવાર માટે લઈ જવાયા હોય હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News