મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન નશાની હાલતમાં લેબર કવાટરની છત ઉપર ચડ્યો હતો અને બાદમાં નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોય તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી નામનો ૨૭ વર્ષનો યુવાન તા.૧૦ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં યુનિટના લેબર કવાટરમાં છત ઉપર ચડ્યો હતો અને નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોવાથી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયુ હતું.મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડાતા ત્યાં પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી. અને તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા હબીબભાઈ અલ્લારખા ભટ્ટી (ઉમર ૬૦) તથા નવાબ રમજાનભાઈ કાજડીયા (ઉંમર ૧૭) નામની બે વ્યક્તિઓને તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યે ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી ૧૦૮ વડે આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે.હોસ્પિટલ ખાતેથી આ બાબતે યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

પરણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર નજીક મફતપરા વિસ્તારમાં રહેતા શીલાબેન ટપુભાઈ મારવાણીયા નામની ૪૦ વર્ષિય મહિલાને તા.૧૦ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી શીલાબેનને સિવિલે સારવાર માટે લઈ જવાયા હોય હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News