સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું


SHARE











મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ આચાર્ય કે જેઓએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તેઓની સ્મૃતિ કાયમ રહે તે માટે શાળાના પટાંગણમાં પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું હતું તેઓએ વર્ષ 1957 થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. અને બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. આટલું જ નહીં  તેમણે રાજ્યપાલના હસ્તે આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. અને તેઓએ નિવૃત્તિ થયા પછી પણ બગથળા ગામે આવેલ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી સેવા આપી હતી જેથી કરીને તેઓની કાયમી સ્મૃતિ રહે તે માટે આ શાળાના પૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે દ્વારા પૂર્વ આચાર્યની પ્રતિમા શાળાના પટાંગણમાં મૂકવામાં આવી છે અને તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.






Latest News