મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ


SHARE











મોરબીના ખાનપર ગામે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતાં યુવાનને ધાતુની મૂઠ કપાળમાં મારી: સામસામે ફરિયાદ

મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી ત્યારે બંને પક્ષેથી માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલી યદુનંદન પાર્ક શેરી નં-2 માં મોમાઈ કૃપા ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે. સનાળા બાયપાસ ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં વૃંદાવન સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ખાનપર ગામે બસ સ્ટેશન પાસે ફરિયાદીએ આરોપીને તેની ગાડી સાઈડમાં લેવા માટે તેને કહ્યું હતું ત્યારબાદ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ફરિયાદી યુવાનને ધાતુની મુઠ વડે માથાના કપાળના ભાગે માર્યો હતો અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા ઇન્દ્રજીતસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને કપાળના ભાગે ટાંકા આવ્યા હતા. અને હાલમાં યુવાને દેવેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં સનાળા બાયપાસ રોડે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા (61) એ ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે. બને યદુનંદન પાર્ક નં-2 મોરબી સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને સાથે ગાડી સાઈડમાં લેવા બાબતે ખાનપર ગામના બસ સ્ટેશન પાસે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ગજેન્દ્રસિંહ જાડેજાએ તેને પકડી રાખ્યા હતા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાએ લાકડાના ઘોકા વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો અને ગાળો આપી હતી અને માથામાં માર માર્યો હોવાથી માથામાં ઇજા થતાં તેને માથામાં ટાંકા આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ દેવેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News