સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE











મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે દશેરાના દિવસે મોરબીમાં વાંકાનેર દરવાજા પાછળ રામઘાટ નજીક આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, દવે પંચોલી વિદ્યાર્થી ભુવનના પ્રમુખ કાંતિભાઈ ઠાકર, ભોજનશાળાના પ્રમુખ મયુરભાઈ શુકલ, શાસ્ત્રી વિપુલભાઈ શુકલ, વિદ્યોતેજક મંડળના મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેજી થી લઈને કોલેજ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મનોજભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News