મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી

મોરબીના રહીશ અને બોનીપાર્ક પાસે રહેતા ધનજીભાઈ ડાયાભાઇ શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નાખવા માટે ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.-જામનગરને રૂા.૧,૪૮,૨૮૭ ચેક દ્વારા ભરતા આ કંપનીએ નિયત સમયમર્યાદામાં સોલાર પેનલ ફીટ નહીં કરી આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે ધનજીભાઈને તા.૨૪-૫-૨૪ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦ (દસ હજાર) અન્ય ખર્ચ સાથે રૂા. ૧,૪૮,૨૮૭ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી.શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮,૨૮૭ રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી અને રૂપિયા પરત આપેલ નહીં તેથી ધનજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે ઘનજીભાઈને રૂા.૧,૪૮,૨૮૭ અને રૂા.૧૦,૦૦૦ અન્ય ખર્ચના કુલ ખર્ચ રૂા.૧,૫૮, ૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨-૫-૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News