મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી

મોરબીના રહીશ અને બોનીપાર્ક પાસે રહેતા ધનજીભાઈ ડાયાભાઇ શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નાખવા માટે ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.-જામનગરને રૂા.૧,૪૮,૨૮૭ ચેક દ્વારા ભરતા આ કંપનીએ નિયત સમયમર્યાદામાં સોલાર પેનલ ફીટ નહીં કરી આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે ધનજીભાઈને તા.૨૪-૫-૨૪ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦ (દસ હજાર) અન્ય ખર્ચ સાથે રૂા. ૧,૪૮,૨૮૭ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી.શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮,૨૮૭ રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી અને રૂપિયા પરત આપેલ નહીં તેથી ધનજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે ઘનજીભાઈને રૂા.૧,૪૮,૨૮૭ અને રૂા.૧૦,૦૦૦ અન્ય ખર્ચના કુલ ખર્ચ રૂા.૧,૫૮, ૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨-૫-૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News