મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા બે શખ્સનાં શરતી જામીન મંજૂર


SHARE











મોરબીમાં વૃદ્ધને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા બે શખ્સનાં શરતી જામીન મંજૂર

મોરબીના ચકચારી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના પકડાયેલ આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાંથી બંને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી એ ડીવી. પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીના પતિને અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા આપી વ્યાજની ઉધરાણી કરી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીના પતિએ પોતાના ધરે આરોપીઓના માનસીક ત્રાસને કારણે ઝેરી દવા પી લઈ મરણ ગયેલ છે જેથી કરીને મોરબી એ ડીવી. પોલીસે બી.એન.એસ. ની કલમ- ૧૦૮ તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિ.-૨૦૧૧ની કલમ-૪૦, ૪૨ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

જેમાં આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીનાઓએ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. અને તેના વકીલે કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.

આર.સી. ઈન્ડસ્ટ્રીઝમાં દિલીપભાઈ અગેચાણીયાની નિમણૂક

મોરબી ખાતે સ્થિત આર.સી. ઈન્ડસ્ટ્રીઝ (સોલાર ડેવલોપમેન્ટ EPC કંપની) ના તમામ ડીરેકટરોની એક મીટીંગ મળેલ હતી જેમાં સર્વાનુમતે કંપનીના લીગલ એડવાઈઝર તરીકે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ) દિલીપભાઈ અગેચાણીયાની નિમણુક કરવામાં આવેલ છે. હાલ દીલીપભાઈ બીજી અનેક મોટી કંપનીમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે. સોલાર ડેવલોપમેન્ટમાં સૌથી મોટુ નામ ધરાવતી કંપનીમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે દિલીપભાઈ અગેચાણીયાની નિમણુક થતાં અનેક સીનીયર તથા જુનીયર વકીલોએ દીલીપભાઈ અગેચાણીયાને સુભેચ્છા પાઠવેલ છે. 




Latest News