મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો


SHARE











મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

નિયામક આયુષની કચેરી-ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ તા૨-૧૧ ના રોજ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉજવણી અંતર્ગત ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) ના શુભ દિવસે સરકારી આયુર્વેદ દવાખાનું હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ તેમજ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કેમ્પમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. ધન્વંતરી પ્રાગટ્ય દિન નિમિતે ધન્વંતરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની થીમ “આયુર્વેદ ફોર પોષણ” અંતર્ગત વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.દિનચર્યા, રૂતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી.

વિવિધ આયુર્વેદ ઔષધિઓનુ પ્રદર્શન-તથા હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓની લોકોને સમજ આપવામાં આવી હતી.૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા તેમજ હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર આપવામાં આવી સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા આપવામાં આવી તેમજ હોમીયોપેથી સારવાર આપવામાં આવી હતી. સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ “હર્બલ ડ્રીંક” નુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.૧૨૫૦ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમ વૈદ્ય પ્રવિણ વડાવિયા (જિલ્લા આયુર્વેદ અધિકારી) એ યાદીમાં જણાવેલ છે.






Latest News