ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને પટેલ બિલ્ડર યુવાને કર્યો આપઘાત: સ્યૂસાઇટ નોટ મળી


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેંટમાં રહેતો યુવાન ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો અને બાદમાં તેના મિત્ર સર્કલમાં શોધખોળ કરતાં તેના મિત્રને તે એક કવર વીમા વાળાને આપવાનું છે તેવું કહીને આપી ગયો હતો જે કવરને ખોલવામાં આવતા તેમાથી તેની સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી તેવામાં મોરબીના મચ્છુ-૩ ડેમ પાસેથી તેનું સ્કૂટર અને ચપ્પલ મળી આવ્યા હતા જેથી ડેમમાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં ડેમના પાણીમાથી તેની લાશ મળી આવી હતી જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં છે અને પોલીસે આપઘાતના આ બનાવની આગળની કાર્યવાહી કરેલ છે  

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા પટેલ (૪૫) રહે.પટેલનગર આલાપ રોડ વાળાએ જાણ કરી હતી કે તેમના કૌટુંબિક ભાઇ આશિષ થોભણભાઇ જાકાસણીયા (ઉંમર ૩૬) રહે, આઈકોન એપાર્ટમેન્ટ, એસપી રોડ રવાપર વાળા તારીખ ૨૨ ના ઘરેથી હમણાં બહાર જાવ છું અને થોડી વારમાં આવું છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આ વાતની જાણ શૈલેષભાઇને ફોનથી કરી હતી બાદમાં શૈલેષભાઈ જાકાસણીયા અને શૈલેષભાઈના મિત્ર અલ્પેશભાઇએ આશિષભાઈની શોધખોળ હાથ ધરી હતી અને આશિષભાઈના મિત્ર સર્કલમાં તેઓએ તપાસ કરતાં આશિષભાઈના મિત્ર નટુભાઇ બોડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આશિષ સાંજે પાંચેક વાગ્યે તેમને મળ્યો હતો અને તેમને કવર આપ્યું હતું અને તે કવર વીમા વાળા ભાઇ ને આપવાનું છે તેમ કહ્યું હતું જે કવરને ખોલતા અંદર સુસાઇડ નોટ મળી આવી હતી અને પોતે આપઘાત કરવા જતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા વહેલી સવારે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી બાદમાં શોધખોળ કરતાં આશિષ થોભણભાઇ જાકાસણીયાનું સ્કૂટર નંબર જીજે ૩૬ એન ૧૪૮૭ મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે પાર્ક કરેલી હાલતમાં મળી આવ્યું હતું અને બાજુમાંથી જ આશિષના ચંપલ પણ મળી આવ્યા હતા જેથી ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમના પાણીમાથી મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે આશિષ થોભણભાઇ જાકાસણીયાની ડેડ બોડીને બહાર કાઢી હતી બાદમાં તેની બોડીને પીએમ માટે સિવિલે લઈ જવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તેમણે જણાવ્યુ છે કે, મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટને કબ્જે કરી છે અને તેમાં લખ્યું છે કે, તેને છેલ્લા બે વર્ષથી ગોઠણની બીમારી હતી જેની સારવાર કરવામાં આવી હોવા છતાં સારું થતું ન હતું જેથી કરીને દુખાવાથી કંટાળીને આપઘાત કરલે છે 






Latest News