મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ


SHARE











મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેની કરીને યુવતીની માતા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નં-2 માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ જાતે પ્રજાપતિ (45)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. 17/9/2024 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં તેની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (21) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માર્કેટયાર્ડ સામે આવેલ બજરંગ સોસાયટીમાં ગુરુકૃપા એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરેન્દ્રભાઈ વસંતભાઈ ભીમાણી (36) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા શેરી નં- 15માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુભાઇ વાસુદેવભાઈ મકવાણા (55)ને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News