મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરલા જડેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ચાવડી ચોક નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવભાઈ દિલીપભાઈ વોરા (22) નામના યુવાને ગત તા. 19/9/2024 ના રોજ પોતે પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ સિંગદાણાના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 9/9/2024 ના રોજ તેનું મોત નીપજયું હતું જેથી આ અંગેની જાણ રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સોનલબેન અરજણભાઈ કુંભરીયા (41) નામના મહિલા પગપાળા ચાલીને રામદેવપીરના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તો ઓળંગી રહેલા સોનલબેનને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ધનજીભાઈ મોતીભાઈ કંઝારીયા (61) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ મંદિર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.






Latest News