ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ


SHARE











મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ

મોરબીના નવલખી રોડથી અંદરના ભાગે આવેલા વનાળીયા (શારદાનગર) ગામે ગૌવંશ (આખલા) ની ઉપર કોઈ નારધમે  એસિડ છાંટતા આખલાનાં શરીરની ચામડી ઉતરી ગઈ છે.જેની સારવાર માટે ગામના આગેવાનો મથી રહ્યા છે.આ અંગે ગામના યુવાને પોલીસમાં અરજી પણ આપી છે.છતાં પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ ન નોંધી હોય ગૌઉં પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલના કળિયુગના સમયમાં કોઇ ભેંસને રેઢિયાળ રખડતી  જોઇ છે ? નહીંને તો જેને માતાનું પદ આપ્યું છે તેવી ગાય માતાઓ અને તેમના વંશજોને ગમે ત્યાં રખડતા જોઈ શકો છો. પરંતુ જ્યારે આ રેઢિયાળ ઢોરને કોઈ હેરાન કરે ત્યારે જીવદયા પ્રેમીઓના જીવ કકડી ઊઠે છે.આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં વનાળીયા ગામે ગૌવંશ (આખલા) ઉપર કોઈએ એસીડ છાંટતા આ આખલો  કણસતો કણસતો ગામના પાદરમાં આવ્યો હતો. ત્યાં ગામના યુવાનો રોહિત વિલપરા, હિતેશ પાડલીયા, નવીનભાઈ પટેલ, સરપંચ અકબરભાઈ સુમરા સહિતનાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ ગૌવંસની સારવાર શરૂ કરી હતી. ઘાયલ આખલાનેં ગ્રામ પંચાયતમાંનાં પટાંગણમાં રાખવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. આ અધમ કૃત્ય કરનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના જ રોહિત વિલપરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપેલ છે.જોકે તાલુકા પોલીસે ગુનો નોંધીને અધમ કૃત્ય કરનારને પકડવા તસ્તી લીધી નથી તે હકીકત છે.






Latest News