મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ


SHARE







મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ

મોરબીના નવલખી રોડથી અંદરના ભાગે આવેલા વનાળીયા (શારદાનગર) ગામે ગૌવંશ (આખલા) ની ઉપર કોઈ નારધમે  એસિડ છાંટતા આખલાનાં શરીરની ચામડી ઉતરી ગઈ છે.જેની સારવાર માટે ગામના આગેવાનો મથી રહ્યા છે.આ અંગે ગામના યુવાને પોલીસમાં અરજી પણ આપી છે.છતાં પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ ન નોંધી હોય ગૌઉં પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલના કળિયુગના સમયમાં કોઇ ભેંસને રેઢિયાળ રખડતી  જોઇ છે ? નહીંને તો જેને માતાનું પદ આપ્યું છે તેવી ગાય માતાઓ અને તેમના વંશજોને ગમે ત્યાં રખડતા જોઈ શકો છો. પરંતુ જ્યારે આ રેઢિયાળ ઢોરને કોઈ હેરાન કરે ત્યારે જીવદયા પ્રેમીઓના જીવ કકડી ઊઠે છે.આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં વનાળીયા ગામે ગૌવંશ (આખલા) ઉપર કોઈએ એસીડ છાંટતા આ આખલો  કણસતો કણસતો ગામના પાદરમાં આવ્યો હતો. ત્યાં ગામના યુવાનો રોહિત વિલપરા, હિતેશ પાડલીયા, નવીનભાઈ પટેલ, સરપંચ અકબરભાઈ સુમરા સહિતનાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ ગૌવંસની સારવાર શરૂ કરી હતી. ઘાયલ આખલાનેં ગ્રામ પંચાયતમાંનાં પટાંગણમાં રાખવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. આ અધમ કૃત્ય કરનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના જ રોહિત વિલપરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપેલ છે.જોકે તાલુકા પોલીસે ગુનો નોંધીને અધમ કૃત્ય કરનારને પકડવા તસ્તી લીધી નથી તે હકીકત છે.






Latest News