સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી


SHARE











માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી

તાજેત્તરમાં અતિવૃષ્ટિને લીધે તેમજ મચ્છુ પૂરના કારણે માળીયા (મી) તાલુકામાં અનેક ગામોને નુકસાન થાય છે. ત્યારે આ દરમ્યાન આજે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ વિરવદરકા ગામથી પ્રવાસ પ્રારંભ કર્યો છે. આ દરમ્યાન તેમને વિરવદરકા ગામે ગ્રામજનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવામાં સહાયતા આપવા અનુરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચના આપી હતી. તથા ખોડિયાર ડીપ પર પાણી વહેતુ હોય 5000 વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવવા ગ્રામજનોની રજુઆત અન્વયે સંબંધીતોને તાકીદ કરી હતી. આ કાર્યમાં તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે. બ્રિજેશ મેરજા વિરવદરકા થઈને આગળ ફતેપુરા, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે નીકળ્યા છે.






Latest News