મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું


SHARE













મોરબીના લીલાપરથી શહેરમાં આવવાના રસ્તા ઉપરનું 40 વર્ષ જુનુ પુલિયું તૂટ્યું

મોરબીના લીલાપર ગામથી શહેરમાં આવવા માટેના મુખ્ય રોડ ઉપર જે પુલિયું આવેલું છે તે વર્ષો જૂનું પુલિયું ગઇકાલે બપોરના સમયે કોઈ કારણોસર ફૂટી ગયું હતું જેથી કરીને ગામમાંથી શહેર તરફ આવવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ અંગેની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે, મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટી ગયા છે જોકે પુલ કે પુલિયા તૂટ્યા હોય તેવી કોઈ ઘટના બની ન હતી પરંતુ ગઇકાલે બપોરના સમયે મોરબીના લીલાપર ગામથી મોરબી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર યદુનંદન ગૌશાળા પાસે જે 40 વર્ષ જૂનું પુલિયું આવેલું છે તે પુલિયું કોઈ કારણોસર તૂટી પડ્યું હતું જો કે, સદનસીબે ત્યારે ત્યાં ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માતનો બનાવ બનેલ નથી પરંતુ આ અંગેની જાણ થતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને લીલાપર ગામથી મોરબી શહેરમાં અવરજવર કરી શકાય તે માટેનો વૈકલ્પિક રસ્તો ચાલુ કરવા માટેની કવાયત હાથ ધરી હતી.






Latest News