મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો


SHARE











મોરબીમાં બાકીમાં માવો આપવાની ના પાડતા બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં દુકાન ધરાવતા વ્યક્તિએ બાકીમાં માવો આપવાની ના પડતા બંને ભાઈઓ ઉપર બે ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મનુભાઈ કાથરોટીયા (40) અને હસમુખભાઈ મનુભાઈ કાથરોટીયા (46) ઉપર તે વિસ્તારના રહેવાસી ગની મીંયાણા અને અભરામ મીંયાણા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી વિનોદભાઈ અને હસમુખભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાદમાં તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગની મીંયાણા અને અભરામ મીંયાણા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ઉધારમાં માવો લેવા માટે સામે વાળા દુકાને આવ્યા હતા.જેને ઉધારમાં માવો આપવાની ના પાડતા ઝઘડો કરીને છરી વડે પેટ અને સાથળના ભાગે ઇજા કરી હતી.! હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એંજલ સિરામિક પાસેથી બાઈક લઈને જઇ રહેલા માવજીભાઈ ધરમશીભાઈ (70) રહે. ઘુંટુ ને અકસ્માત બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં 

મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાડીયા સોસાયટીમાં રહેતો મનોજ રમેશભાઈ ચાવડા નામનો 28 વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપરના બસ સ્ટેશન પાસે હતો ત્યાં તેને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો.જેથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News