ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી


SHARE







મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી

મોરબીના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટી ગયા છે અથવા તો ઢાંકણા ન હોવાના કારણે ગટરની કુંડીઓ ખુલી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે જોકે મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલની સામેના ભાગમાં રસ્તા ઉપર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારની ગટર આવેલ છે અને ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવી છે જો કે, તે જાળી પણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે ચોમાસામાં વરસાદ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારી અથવા તો વાહન ચાલક માટે આ ગટર જીવલેણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. જેથી જવાબદાર અધિકારી દ્વારા ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકોની માંગણી ઉઠી છે.






Latest News