ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુ વડે મારામારી


SHARE







મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુ વડે મારામારી

મોરબી નજીકના રવાપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર ગામે રહેતા સંગીતાબેન દિનેશભાઈ સાગઠીયા નામના 45 વર્ષના મહિલાએ ગામના જ રાહુલ મેઘજીભાઈ ચાવડા નામના યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, ગત તા.6-8 ના બપોરના અઢી વાગ્યાના અરસામાં આ મારામારી-બોલાચાલીનો બનાવ બન્યો હતો.જેમાં તેઓના પતિએ અગાઉ રાહુલ ચાવડા સામે ફરિયાદ કરેલી હોય જે બાબતનો રોષ રાખીને રાહુલ તેઓના ઘર પાસે આવ્યો હતો અને મોટે મોટે ઊંચા અવાજે વાત કરીને ગાળો બોલતો હતો.જેથી ઘર પાસે ગાળો બોલવાની તેને ના પાડવામાં આવતા ફરિયાદીના પુત્ર નરેશની સાથે રાહુલે ઝપાઝપી કરી હતી અને નરેશને મૂઢ માર માર્યો હતો.જેથી હાલ સંગીતાબેન સાગઠીયાની ફરિયાદ ઉપરથી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા રાહુલ ચાવડા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સલમાબેન મહેબુબભાઇ બ્લોચ નામના 66 વર્ષીય વૃદ્ધા પુત્રના સાથે બાઈકના પાછળના ભાગે બેસીને બહાર જતા હતા ત્યારે મકરાણીવાસ વિસ્તાર નાની બજાર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરાવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા સંદીપ બાબુભાઈ કોટડીયા નામના 25 વર્ષના યુવાનને અમરાપર ગામ નજીક બાઇક અને એસટી બસ વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના માનસર ગામે રહેતા વિશાલ હિતેશભાઈ કંસારા નામના 17 વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે રહેતા દાનાભાઈ વશરામભાઈ ઉભડિયા નામના 66 વર્ષના વૃદ્ધ નાનીવાવડી ગામ નજીક બાઇકમાં બેસીને જતા હતા તે સમયે બાઇક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાઓ પહોંચી હોવાથી દાનાભાઈને સારવાર માટે ખસેડાયા હતા.જેથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એફ.આઇ.સુમરાએ તપાસ શરૂ કરી છે.






Latest News