મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રામાં મોરબીના લોકોને જોડવા માટે જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોનો ડોર ટુ ડોર પ્રચાર


SHARE







ગુજરાત ન્યાય યાત્રામાં મોરબીના લોકોને જોડવા માટે જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોનો ડોર ટુ ડોર પ્રચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગર ધારાસભ્યના આગેવાની હેઠળ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજવાની છે અને તેનો પ્રારંભ મોરબીની થવાનો છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબીમાં દુકાને દુકાને અને શેરીએ શેરીએ જઈને લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા માટે અને ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવો માટે મદદ કરવા અપીલ કરી હતી. 

મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આવી જ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બનેલી ગોજારી ઘટનાઓમાં સીટની રચના કરવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે હજુ સુધી ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી અને દોષિતોને સજા કરવામાં આવી નથી. ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ દોઢથી બે કરોડ જેટલું વળતર મળે અને દોષિતોને સજા થાય તે માટે આગામી તા. 9 ઓગસ્ટ થી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થવાની છે.

આ ન્યાય યાત્રામાં મોરબીના લોકો વધુમાં વધુ જોડાય તે માટે થઈને આજે મોરબીના દરબાર ગઢ ચોકથી લઈને જુના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે થઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મનોજભાઇ પનારા, રાજેશભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે સહયોગ આપવા માટે મોરબી શહેર અને જિલ્લાના લોકોને સહકાર આપવા માટે આહવાન કર્યું હતું.






Latest News