સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE











માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે પડ્યો હતો અને ત્યાં પાણીમાં કોઈ કારણોસર તે ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર તાલુકાના આંબા ડભેરી પટેલ ફળિયુના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામે જયંતીભાઈ બચુભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા જાતે આદિવાસી (40) નામનો યુવાન જૂના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તે મૃતક યુવાનના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન રાજુભાઈ રુમાભાઈ ડોડીયા જાતે આદિવાસી (30) રહે. હાલ રાજચરાડી ગામે મુન્નાભાઈ પટેલની વાડીએ ધાંગધ્રા મૂળ રહે એમપી વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશિયા (27) નામના યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીમાં સબજેલ ચોક પાસે રહેતા પરસોતમભાઈ કમાભાઈ પરમાર (42) મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન કોઈ કારણોસર તે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News