મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE













માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે પડ્યો હતો અને ત્યાં પાણીમાં કોઈ કારણોસર તે ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર તાલુકાના આંબા ડભેરી પટેલ ફળિયુના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામે જયંતીભાઈ બચુભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા જાતે આદિવાસી (40) નામનો યુવાન જૂના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તે મૃતક યુવાનના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન રાજુભાઈ રુમાભાઈ ડોડીયા જાતે આદિવાસી (30) રહે. હાલ રાજચરાડી ગામે મુન્નાભાઈ પટેલની વાડીએ ધાંગધ્રા મૂળ રહે એમપી વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશિયા (27) નામના યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીમાં સબજેલ ચોક પાસે રહેતા પરસોતમભાઈ કમાભાઈ પરમાર (42) મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન કોઈ કારણોસર તે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News