મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા-હળવદ તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે બાળકોને ઝેરી જંતુ કરડી જતાં બંને સારવારમાં


SHARE







ટંકારા-હળવદ તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે બાળકોને ઝેરી જંતુ કરડી જતાં બંને સારવારમાં

ટંકારા તાલુકાના સરૈયા અને હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં બે ઘટનામાં બાળકોને ઝેરી જંતુ કરડી જતાં તેને સારવારમાં માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ સ્થાનિક પોલીસને એ ડિવિઝનમાંથી જાણ કરવામાં આવી છે.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા દિનેશભાઈ વાંખલાના બે વર્ષના દીકરા આર્યનને ઝેરી જંતુ કરડી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે ટંકારાથી મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ગંભીરભાઈ આદિવાસીના આઠ વર્ષના દીકરા સુખરામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોય આ બનાવની ત્યાં જાણ કરવામાં આવેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા સવિતાબેન નાનજીભાઈ સંઘાણી (78) નામના વૃદ્ધા મોરબીના શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પૌત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો. જેમાં સવિતાબેનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News