મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું


SHARE











વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે આઇસર લેવા એક વર્ષ પહેલાં બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે અત્યાર સુધીમાં અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી 45,000 ની પેનલ્ટી તથા બે લાખ રૂપિયા મુદલ આમ કુલ મળીને અઢી લાખ રૂપિયા જેટલી રકમની વારંવાર માંગણી કરવામાં આવે છે અને પૈસાની ઉઘરાણી કરવા માટે વ્યાજખોર તેના ઘરે આવતો હતો જેથી કંટાળીને યુવાનની પત્નીએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી અને છેલ્લા ઘણા સમયથી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ફિરોજભાઈ સૈયદના પત્ની આશિયાનાબેન (30)એ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આશિયાનાબેનના પતિ ફિરોજભાઈએ ધંધા માટે આઇસરની ખરીદી કરવા વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા મુકમુદ્દીન ઉર્ફે મૂકો નામના શખ્સની પાસેથી એક વર્ષ પહેલાં 10 ટકાના વ્યાજ લેખે બે લાખ રૂપિયા લીધા હતા જેની સામે સમયાંતરે કુલ મળીને અત્યાર સુધીમાં સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા પરત ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેના ઉપર પેનલ્ટી લગાવીને 45,000 જેટલી પેનલ્ટી તથા બે લાખની મુદ્દલ આમ કુલ મળીને અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરવામાં આવી રહી છે. અને વ્યાજખોર અવારનવાર આશિયાનાબેનના પતિ ફિરોજભાઈને ફોન કરતો હતો જેથી ફિરોજભાઈ ફોન ન ઉપાડે તો પૈસાની ઉઘરાણી કરવા માટે થઈને તે તેઓના ઘરે આવતા હતો જેથી કરીને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પી લીધું હતું. આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News