ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પાવર હાઉસ સામેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ


SHARE











વાંકાનેરના માટેલ નજીક પાવર હાઉસ સામેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં 66 કેવીના પાવર હાઉસની સામે કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હતો જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા અને ખેતી કામ કરતા વાઘજીભાઈ કુકાભાઈ ડાંગરોચા જાતે કોળી (57)એ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, માટેલ ગામની સીમમાં આવેલ 66 કેવીના સબ સ્ટેશન સામે કોઈ અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો છે. અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.આર.બોરાણી ચલાવી રહ્યા છે.

બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા પરસોતમભાઈ ચતુરભાઈ લાલવાણી (23) નામનો યુવાન ટ્રક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં અન્ય ટ્રક સાથે તેનો ટ્રક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પરસોત્તમભાઈને ઇજા થઈ હતી જેથી કરીને તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News