ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પંથકના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નાની વાવડી મોરબી ખાતે રહેતા મગનભાઈ ધનાભાઈ મકવાણા તથા તેમના માતા-પિતા તથા બહેન વિરુદ્ધ નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રરણના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ કરી હતી અને મોરબી કોર્ટમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાનું ચાર્જશીટ રજૂ કરેલ હતું. જે કેસની ટ્રાયલ મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે અમદાવાદના વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રદીપ એ. રાજપુત તથા દલપત એચ.પરમાર રોકાયેલ હતા.






Latest News