મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન


SHARE











મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ કાલે પાલિકામાં બોલાવશે રામધૂન

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવશે અને મોરબીના લોકોને પડતી હલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરશે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા-રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહયા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ-રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે. ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે. જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો-માખીના લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેસત છે. તો પણ આ પ્રશ્નોનું નગરપાલીકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતુ નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામ ધુનનું આયોજન કરેલ છે.






Latest News