મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત

વાંકાનેરના અમરસર પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના અમરસર ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની અડફેટે આવી જવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળી મૃતક યુવાનનું નામ જીતેન્દ્રભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૩૩) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા હોવાનું સામે આવેલ છે જોકે, જીતેન્દ્રભાઈ ટ્રેનની અડફેટે આવી ગયા છે કે, પછી કારણોસર આપઘાત કરે છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News