ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ટોલનાકા પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ અંજારના પિતા-પુત્ર સારવારમાં


SHARE











મોરબીના અણીયારી ટોલનાકા પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ અંજારના પિતા-પુત્ર સારવારમાં

મોરબી નજીક આવેલ અણીયારી ચોકડી પાસે ગતરાત્રીના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના પિતા-પુત્રને ઇજાઓ થવાથી હાલ સારવારમાં મોરબી સિવિલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અણીયાળી ટોલનાકા પાસે ગત રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં અંજાર(કચ્છ)ના રહેવાસી પ્રવીણભાઈ આશાભાઇ ખોખર (૫૨) અને તેમના પુત્ર પરેશ પ્રવીણભાઈ ખોખર (૩૨) ને ઇજાઓ થતાં બંનેને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના દીઘડિયા ગામનો અશોક પ્રેમજી કાંજીયા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સરા ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત અશોક કાંજીયાને સારવારમાં અહીંની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા-મહીલા સારવારમાં

મોરબી તાલુકાના અણિયારી ગામે પગપાળા જઈ રહેલા ડાહીબેન રેવાભાઇ ખરંગીયા નામની ૫૪ વર્ષીય મહિલાને ગાયે હડફેટે લેતા ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ગૌરીબેન જગદીશભાઈ ગોરધનભાઈ વરાણીયા જાતે કોળી નામની ૨૫ વર્ષીય મહિલાને તેના દિયર તથા દેરાણી સાથે બોલાચાલી થયા બાદ ઝપાઝપીમાં ધકો લાગી જતા પડી ગયેલા ગૌરીબેનને સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મૂળ ઉપલેટાનો અને હાલ મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રહેતો નિશાંત માથુરભાઇ જાવીયા જાતે પટેલ નામનો ૨૭ વર્ષીય યુવાન અજાણી દવા પી જતાં તેને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરતા ખૂલ્યુ હતુ કે માથાના દુખાવાને બદલે ભૂલથી અજાણી દવા પીવાઇ જતા તેને સારવાર માટે લઇ જવાયો હતો.






Latest News