ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં ખેતર ધરાવતા યુવાને ખેતરના શેઠે હળનું લીટુ નાખેલ હતું. જે બાબતનો પાડોશમાં ખેતર ધરાવતા શખ્સે ખાર રાખીને યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે ઘનશ્યામનગરમાં રહેતા ઘનશ્યામભાઈ મનજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (37)એ હાલમાં ઈશ્વરભાઈ ડાયાભાઈ કંઝારીયા જાતે દલવાડી રહે નવા ધનાળા ગામ ઘનશ્યામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામની સીમમાં તેઓની માલિકીનું ખેતર આવેલ છે અને ત્યાં બાજુમાં આરોપીનું ખેતર આવેલું છે અને ખેતરના શેઢે ફરિયાદીએ હળનું લીટુ નાખેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે જમણા હાથ અને જમણા પગમાં માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.

સાપ કરડી જતાં સારવારમાં

ટંકારા નજીક આવેલ દર્પણ પોલીપેક ખાતે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કલ્પેશ શિવપ્રસાદ ભારતી (40) નામનો યુવાની યુનિટમાં હતો ત્યારે ત્યાં યુનિટમાં તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને તાત્કાલિક કરવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, બનાવો ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.






Latest News