મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં ખેતર ધરાવતા યુવાને ખેતરના શેઠે હળનું લીટુ નાખેલ હતું. જે બાબતનો પાડોશમાં ખેતર ધરાવતા શખ્સે ખાર રાખીને યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે ઘનશ્યામનગરમાં રહેતા ઘનશ્યામભાઈ મનજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (37)એ હાલમાં ઈશ્વરભાઈ ડાયાભાઈ કંઝારીયા જાતે દલવાડી રહે નવા ધનાળા ગામ ઘનશ્યામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામની સીમમાં તેઓની માલિકીનું ખેતર આવેલ છે અને ત્યાં બાજુમાં આરોપીનું ખેતર આવેલું છે અને ખેતરના શેઢે ફરિયાદીએ હળનું લીટુ નાખેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે જમણા હાથ અને જમણા પગમાં માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.

સાપ કરડી જતાં સારવારમાં

ટંકારા નજીક આવેલ દર્પણ પોલીપેક ખાતે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કલ્પેશ શિવપ્રસાદ ભારતી (40) નામનો યુવાની યુનિટમાં હતો ત્યારે ત્યાં યુનિટમાં તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને તાત્કાલિક કરવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, બનાવો ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.






Latest News