મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીના જાંબુડીયા ગામથી પાનેલી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકાનાં જાંબુડીયા ગામથી પાનેલી ગામ તરફ જવાનો જે રસ્તો હતો તેને પાનેલી સર્વે નંબર 140 પૈકીમાંથી બનતી જીઆઈડીસી દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને ગ્રામજનોએ આ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકાની જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, જીઆઈડીસી દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે જેથી કરીને આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી છે છેલ્લા ઘણા વર્ષોથી જાંબુડીયાના સર્વે નંબર 146 નું પાણી પાનેલી તળાવમાં જતું હતું તે પાણીના વોકળા બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પાણી જાંબુડીયાના ખેતરોમાં ભરાઈ છે. અને જો વોકળા ખુલ્લા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પણ નુકશાન થશે.

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી મામલતદાર મોરબીને જાહેર હિતમાં રસ્તા-વોકળા ખુલ્લા કરવા રજૂઆત કરવામાં આવી રહી છે જો કે, આજ સુધીમાં જીઆઇડીસી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ફરજમાં અક્ષમ્ય બેદરકારી રાખીને જીઆઇડીસીને મદદ કરી હોય તેની કામ કર્યું છે જેથી કરીને વધુ વરસાદ પડે અને જાંબુડીયા, લઘધીરપુર તથા પાનેલી ગામમાં પાણી ઘુસી જાય અને મોટું નુકસાન થાય તે પહેલા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News