મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં સદ ગુરુદેવ કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ કથા આગામી સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા .૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સમર્થ ગુરુદેવ કેશવાનંદબાપુના સમાધિના ૨૫ મા વર્ષ (રજત જયંતિ) ના ઉપલક્ષ્યમાં ગુરુદેવની ઇષ્ટ ભૂમિ સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષમાં તા.૧૯ સપ્ટેમ્બર ભાદરવા વદ એકમથી તા.૨૫ સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપર જગતગુરૂ દ્વારાચાર્ય મલૂક પીઠાધીશ્વર ગૌ પ્રેમી સંત સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમયી વિરક્ત વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ કથાના શ્રવણનો આનંદ લેવા આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે. આ કથા તા.૧૯-૯ ના રોજ બપોરે ૩ કલાકે તેમજ નિત્ય કથા તા.૨૦ થી ૨૫ સપ્ટેમ્બર દરરોજ સવારે ૯ થી ૧ યોજાશે. અને કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા પોથી નોંધાવવા માટે તેમજ અન્ય કોઈપણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યુ છે. અને વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૨૫૨૪ ૭૫૩૪૭૯૮૨૫૨ ૬૪૫૨૪૯૬૬૪૯ ૫૧૨૦૩૯૮૨૫૨ ૮૬૬૬૯૮૫૧૧૦ ૫૭૯૩૩૯૬૨૪૦ ૪૪૧૦૦૯૬૩૮૦ ૨૨૫૬૮૯૮૯૮૮ ૪૨૩૧૨૮૧૬૦૦ ૬૪૮૬૬ અથવા ૯૯૧૩૯ ૨૧૩૪૦ ઉપર સંપર્ક કરવા ખોખરા હનુમાન હરિહરધામ આયોજન સમિતિએ યાદીમાં જણાવેલ છે.






Latest News