ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીમાં કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે ખોખરા હનુમાન ખાતે ભાગવત કથાનું આયોજન

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં સદ ગુરુદેવ કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ કથા આગામી સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગામી તા .૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સમર્થ ગુરુદેવ કેશવાનંદબાપુના સમાધિના ૨૫ મા વર્ષ (રજત જયંતિ) ના ઉપલક્ષ્યમાં ગુરુદેવની ઇષ્ટ ભૂમિ સીતારામ બાપુની કર્મભૂમિ તથા કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પરમાર્થ ભૂમિમાં પિતૃમોક્ષના દિવસો શ્રાદ્ધપક્ષમાં તા.૧૯ સપ્ટેમ્બર ભાદરવા વદ એકમથી તા.૨૫ સપ્ટેમ્બર ભાદરવા વદ સાતમ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપર જગતગુરૂ દ્વારાચાર્ય મલૂક પીઠાધીશ્વર ગૌ પ્રેમી સંત સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ પોતાની રસમયી વિરક્ત વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ કથાના શ્રવણનો આનંદ લેવા આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે. આ કથા તા.૧૯-૯ ના રોજ બપોરે ૩ કલાકે તેમજ નિત્ય કથા તા.૨૦ થી ૨૫ સપ્ટેમ્બર દરરોજ સવારે ૯ થી ૧ યોજાશે. અને કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા પોથી નોંધાવવા માટે તેમજ અન્ય કોઈપણ પ્રકારની સેવામાં સહયોગી થવા માટે આશ્રમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યુ છે. અને વધુ માહિતી માટે મોબાઈલ નં. ૬૨૫૨૪ ૭૫૩૪૭૯૮૨૫૨ ૬૪૫૨૪૯૬૬૪૯ ૫૧૨૦૩૯૮૨૫૨ ૮૬૬૬૯૮૫૧૧૦ ૫૭૯૩૩૯૬૨૪૦ ૪૪૧૦૦૯૬૩૮૦ ૨૨૫૬૮૯૮૯૮૮ ૪૨૩૧૨૮૧૬૦૦ ૬૪૮૬૬ અથવા ૯૯૧૩૯ ૨૧૩૪૦ ઉપર સંપર્ક કરવા ખોખરા હનુમાન હરિહરધામ આયોજન સમિતિએ યાદીમાં જણાવેલ છે.






Latest News