મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ


SHARE











મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ

મોરબી  શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે. અને શહેરમાં જ્યા જુઓ ત્યા ઉભરાતી ગટરનાના ગંદા પાણી, શેરી ગલીમાં અંઘકાર, બિસ્માર રોડ રસ્તા, ખાડા, મેઈન રોડ ઉપર વરસાદી પાણી વિગેરે અનેક સમસ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્યએ શહેરની યાત્રા કરીને લોકોની મુશ્કેલી સમજવી જોઈએ અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ તેવી સલાહ કોંગ્રેસે આપેલ છે.

મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અને મોરબીના ધારાસભ્ય બેક સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને હાલમાં મોરબી નર્કાગાર જેવુ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ધારાસભ્ય વિડિયો જાહેર કરી લોકોને ગુમરાહ કરે છે તેના બદલે ઘારસભ્યએ લોકોની સમસ્યા ઉકેલવા અને સાંભળવા લોકોની વચ્ચે જવાની જરૂર છે. તો ખ્યાલ આવશે કે લોકો તમારા રાજમાં પ્રજા કેટલા હેરાન છે. અને મોરબીમાં વર્ષોથી ધારાસભ્ય તરીકે હોવા છતાં મોરબી શહેરની સમસ્યા ઉકેલવા માટે કોઈ નક્કર  કામગીરી કરી હોવ તેવું દેખાતું નથી.

મોરબીમાં જે રોડ રસ્તા બને છે તે નબળી ગુણવતાના બને છે અને રોડ રસ્તા ખોદિ કામ ધીમી ગતિએ ચાલે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સમય મર્યાદામાં કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. મોરબી શહેરની મોટા ભાગની ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગયેલ છે જેના કારણે મોરબી શહેરમાં ચારે બાજુ ગટર ઉભરાય છે. જેથી પહેલા તૂટી ગયેલ કુંડી રિપેર કરાવવાની જરૂર છે અને તેવું મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે.






Latest News