મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ


SHARE







મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ

મોરબી  શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે. અને શહેરમાં જ્યા જુઓ ત્યા ઉભરાતી ગટરનાના ગંદા પાણી, શેરી ગલીમાં અંઘકાર, બિસ્માર રોડ રસ્તા, ખાડા, મેઈન રોડ ઉપર વરસાદી પાણી વિગેરે અનેક સમસ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્યએ શહેરની યાત્રા કરીને લોકોની મુશ્કેલી સમજવી જોઈએ અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ તેવી સલાહ કોંગ્રેસે આપેલ છે.

મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અને મોરબીના ધારાસભ્ય બેક સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને હાલમાં મોરબી નર્કાગાર જેવુ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ધારાસભ્ય વિડિયો જાહેર કરી લોકોને ગુમરાહ કરે છે તેના બદલે ઘારસભ્યએ લોકોની સમસ્યા ઉકેલવા અને સાંભળવા લોકોની વચ્ચે જવાની જરૂર છે. તો ખ્યાલ આવશે કે લોકો તમારા રાજમાં પ્રજા કેટલા હેરાન છે. અને મોરબીમાં વર્ષોથી ધારાસભ્ય તરીકે હોવા છતાં મોરબી શહેરની સમસ્યા ઉકેલવા માટે કોઈ નક્કર  કામગીરી કરી હોવ તેવું દેખાતું નથી.

મોરબીમાં જે રોડ રસ્તા બને છે તે નબળી ગુણવતાના બને છે અને રોડ રસ્તા ખોદિ કામ ધીમી ગતિએ ચાલે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સમય મર્યાદામાં કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. મોરબી શહેરની મોટા ભાગની ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગયેલ છે જેના કારણે મોરબી શહેરમાં ચારે બાજુ ગટર ઉભરાય છે. જેથી પહેલા તૂટી ગયેલ કુંડી રિપેર કરાવવાની જરૂર છે અને તેવું મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે.






Latest News