ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર


SHARE











મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીની જામીન અરજી નામંજૂર

મોરબીના રામકૃષ્ણનગરને સળગતી લારી પાસે ધક્કો મરવામાં આવ્યો હતો જે વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી જે જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે.

મોરબીના રામકૃષ્ણનગરમાં ફરિયાદીના દીકરા સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો તેનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીના ઘરની બહાર રાખેલ ચપ્પલ લારીને સળગાવી દીધી હતી અને ફરિયાદીના પતિને ઢસડી માર મારી શેરીમાં સળગતી લારી પાસે ધક્કો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વ્યક્તિનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના આરોપી સંદીપ રાજેશ બોડા અને વિમલ નથુભાઈ કામલીયાએ જામીન અરજી મૂકી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ આર. અગેચણીયા રોકાયેલ હતા. અને આરોપી તરફે વકીલે આરોપી નિર્દોષ હોવાની દલીલો કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે જામીન અરજી સામે વાંધા જવાબ રજુ કર્યા હતા અને દલીલો કરી હતી કે, બંને આરોપીઓની બનાવ સ્થળ પર હાજરી હતી. અને ફરિયાદીના પતિને ઢસડીને સળગતી લારી પાસે ધક્કો દીધો હોય બંને આરોપીની સીધી સંડોવણી છે જેથી કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવે અને વકીલ દિલીપ અગેચણીયાની દલીલોને માન્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે.






Latest News