વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર


SHARE











માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે આધેડે તેની દીકરી ઉપર નજર બગાડતા આધેડની તેની જ પત્નીએ ગળાટુંપો આપીને હત્યા કરી નાખી હતી. અને ત્યાં બાદ હત્યાના બનાવને અકસ્માત કે આપઘાતમાં ખપાવવા માટે મહિલાએ તેના ભાઈ અને દીકરાની સાથે મળીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ગુનામાં પકડાયેલ મૃતકની પત્ની-સાળાના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરેલ છે અને દીકરો હાલમાં રિમાન્ડ ઉપર છે.

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે રહેતા સાહિલભાઈ હાજીભાઈ મોવર (23)એ તેના પિતાની હત્યાની ફરિયાદ તેની જ માતા અને મામાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી. જે ગુનામાં પોલીસે મૃતકના પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડની પોલીસે ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં મહિલા સહિતના બે અને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં મૃતકના નાના દીકરા નબીબભાઇ હાજીભાઇ મોવર (19) રહે. અંજીયાસર માળીયા વાળાની છેલ્લે ધરપકડ કરી હતી જે આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેને ચા અને શાકમાં બેભાન થવા માટેની ટીકડીઓ આપી હતી અને તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળાટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેના ભાઈ ઇમરાનભાઈ અને દીકરા નબીબભાઇને સાથે રાખીને મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડે લાશને ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.






Latest News