મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક


SHARE











માળીયા (મી) નજીક પાણીની તલાવડીમાંથી ડોકમાં ચુંદડી બાંધેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો, ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ બાંધેલ હોવાથી અનેક તર્કવિતર્ક

માળીયા નજીક મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ નજીક કાચા રોડની બાજુમાં પાણીની તલાવડીમાં ડોકમાં ચુંદડી બાંધીને તે ચુંદડીનો બીજો છેડો બાઈકમાં એંગલ સાથે બાંધીને ડૂબી ગયેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ ગયા છે અને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયાની તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મીયાણા (55) નામના આધેડનો મૃતદેહ માળિયા નજીક મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડ ઉપર ભરાયેલ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો હતો અને જ્યારે આધેડનો મૃતદેહ પાણીના તલાવડા પાસેથી મળી આવ્યો ત્યારે તેના ડોકે ચુંદડી બાંધેલ હતી અને તે ચુંદડીનો બીજો છેડો મોટર સાયકલની એંગલ સાથે બાંધેલો હતો અને પાણીમાં ડૂબી જતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ માળિયા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલાવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના દીકરા સાહિલભાઈ હાજીભાઈ મોવર જાતે મિયાણા (23) રહે. જુના અંજીયાસર વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ તા. ના રોજ રાત્રે તેઓના ઘરેથી જમીને નીકળી ગયા હતા અને ત્યારબાદ તા. 3 ના બપોરના 1:00 વાગ્યાના અરસામાં તેનો પાણીના તલાવડા પાસેથી ડોકમાં ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.






Latest News