મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત


SHARE















મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત

કોરોના સમયે એસટી વિભાગ દ્વારા દ્વારા એસટી બસના ઘણા બધા રૂટને બંધ કરવામાં અવાયા હતા જો કે, હાલમાં મોટા ભાગે સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે ત્યારે પણ ઘણી આ એસટીની બસોના રૂટને શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને બસોને ચાલુ કરવા માટે તેમજ નવી સુવિધા વધારવા માટે રજૂઆત કરેલ છે

અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના પી.પી.જોષીએ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીથી કોરોના સમયે જે બસો બંધ કરવામા આવેલ તે હજુ સુધી ચાલુ થયેલ નથી જ્થિ કરીને બસોને ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેકરજણ ડેપોની રાત્રે મોરબીથી ૧૨ વાગ્યે ઉપડતી બંધ છે અને આ બસ મોરબી રાત્રે અમદાવાદ જવા માટે છેલ્લી બસ છે અને ટ્રાફીક પણ સારો મળતો હતો, ધાંગધ્રા ડેપોની ધ્રાંગધ્રા માળીયા સવારે ૭:૩૦ વાગ્યે ધ્રાંગધ્રાથી ઉપડીને માળીયા ૧૧.૦૦ વાગ્યે પહોંચતી બસ જે હાલમાં બંધ છે જેથી માળીયા તાલુકાના ગામડા જેમાં ધાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેણાસર વિગેરેના મુસાફરોને હેરાન થવું પડે છે જે બસ ચાલુ કરવામાં આવે તે જરૂરી છેમોરબી ધાંટીલા વચ્ચે ઘણી જ અપુરતી બસો છે સવારે કારખાનામા કામ ઉપર આવતા કામદારોને ઘણી જ મુશ્કેલી પડે છે તો સવાર સાંજ બે બસ નિયમીત ચાલે તેવી માંગણી છે અને મોરબી સામાકાંઠે હાઉસીંગ બોર્ડ કન્ટ્રોલ પોઇન્ટ ચાલુ કરવો જોઈએ કેમ કે, દરરોજ અહીંયાથી પાંચ હજાર મુસાફરની અવર જવર છે પણ ઇન્કવાયરી ઓફીસ ન હોય મુસાફરને ધણીજ તકલીફ પડે છે






Latest News