ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ


SHARE











મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ

મોરબીના મોડપર ગામની સ્તા અનાજ દુકાન સમયસર ખોલતા નથી જેથી ગ્રાહકોને હેરાન થવું પડે છે માટે સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીએ હાલમાં આ મુદે મામલતદારને રજૂઆત કરીને દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે

મોરબીના મોડપર, વીરપરડા અને હજનારી આ ત્રણય ગામ વચ્ચે મોડપરમાં સસ્તા અનાજની દુકાન ચાલુ છે અને હજનારીથી મોડપર વચ્ચેનું અંતર ૫ કિલોમીટર થાય છે જો કે, ગ્રાહકો દુકાને આવે ત્યારે દુકાન સમયસર ખૂલતી નથી જેથી સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીને તે અંગેની ફરિયાદ મળી હતી જેના આધારે તેને જાતે તપાસ કરતાં તા.૨૧/૧૦ ના સવારે ૧૧.૩૦ સુધી દુકાન ખૂલી ન હતી અને હજનારીથી રીક્ષા ભાડા ખર્ચીને આવેલ ગ્રાહકો હેરાન હતા અને આ બાબતે અને દુકાનદારને ફોન કરતા તેઓએ ફોન રીસીવ કરેલ નહિ ત્યાર બાદ નાયબ મામલતદાર પુરવઠા મહેતાને ફોન કરેલ તેને મને કહેલ કે તમે અરજી મોકલો આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ સરપંચ હજનારીની મુલાકાત કરેલ હતી જેમાં તેઓએ તે ગામના રેશનકાર્ડ બીલીયા ખાતે બદલી કરી આપવામાં આવે કેમ કે, તેઓ સસ્તા અનાજની દુકાનના દુકાનદારથી કંટાળી ગયા છે તેવું કહ્યું હતું જે અંગેની લેખિત ફરિયાદ આપેલ છે અને અવારનવાર અધિકારીને ફરિયાદ આપેલ હોવાથી દુકાનદારને સુચના પણ આપેલ છે તો પણ કોઈ નકર પરિણામ આવેલ નથી જેથી દુકાનદાર સામે યોગી કાર્યવાહી કરીને લોકોને સરળતાથી વસ્તુ મળે તે માટે યોગ્ય કરવા પી.પી.જોશીએ વધુ એક વખત રજૂઆત કરેલ છે






Latest News