હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં એકલા રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના કુબેરનગરમાં એકલા રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નંબર-૩ માં ત્રીલોકધામ મંદિર પાસે રહેતા પ્રફુલભાઈ હિંમતભાઈ માટલિયા જાતે વાણીયા (ઉંમર ૬૨) મૂળ રહે.આમરણ વાળાઓ બેભાન હાલતમાં તેમના ફળિયામાં પડેલા હોય બાજુમાં રહેતા ધર્મેશભાઈ વિનોદભાઈ ગાંધીએ પ્રથમ ૧૦૮ માં જાણ કરી હતી જોકે ડેડબોડી હોવાના કારણે તેઓએ પોલીસમાં જાણ કરવાનું કહેતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો. બાદમાં તેમના મૃતદેહને પીએમ માટે સિવિલએ લઈ જવામાં આવ્યા બાદ મૃતક પ્રફુલભાઇ માટલીયાના કૌટુંબીક ભાઈ ભરતભાઈ મનહરલાલ માટલીયા જાતે વાણીયા (૬૨) રહે.હિરલ પાર્ક શનાળા રોડ મોરબીએ મોરબી એ ડિવિઝન ખાતે જાણ કરી હતી તે તેમના ભાઈજીના દિકરા ભાઈ પ્રફુલભાઈ હિંમતભાઈ માટલિયા કે જેઓ એકલા જ કુબેરનગર વિસ્તારમાં રહેતા હતા અને તેઓને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નિપજયુ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરાઈ હતી.

બાઈક સ્લીપ થઈ જતા ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા રેહાનાબેન બગથરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં રવાપર રોડ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રેહાનાબેનને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.જેથી ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં આવેલ ક્રેંઝા સિરામિક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સંતોષ ભેરૂલાલ પ્રજાપતિ નામના ૨૯ વર્ષના યુવાનને યુનીટમાં બનેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.હાલ મારામારીનો આ બનાવ કયા કારણોસર બન્યો હતો..? તે દિશામાં તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News