ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ


SHARE











મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ

મોરબીમાં પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિના દિવસે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રા યોજાઇ હતી ત્યારે મોરબીના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામના નારા ગુંજી ઉઠયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું કાર્યક્રમ યોજાયો હતો જેનો પણ ભૂદેવ પરિવારોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી અને આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ પદે જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ છે તેમજ મહામંત્રી તરીકે ઋષિભાઇ દેવીપ્રસાદભાઈ મહેતા, ધ્વનિતભાઈ રાજેશભાઈ દવે અને હાર્દીકભાઇ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે તેમ ધ્યાનેશભાઈ રાવલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News