મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મહિલા નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE







મોરબીના મહિલા એડવોકેટ-નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મોરબીના મહિલા એડવોકેટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.મોરબીના વાલ્મિકી સમાજના ગૌરવસમા એડવોકેટ વૈજંતીબેન વાઘેલાની રાજ્ય સરકાર દ્વારા તેઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સભ્ય તરીકે વરણી કરવામાં આવેલી હોવાથી વાલ્મિકી સમાજનું પણ ગૌરવ વધ્યું છે અને હાલમાં તેઓની નિમણુંકને લઈને તેઓના વકીલ મિત્રો, શુભેચ્છકો તેમજ તેઓના સગા-સ્નેહીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વૈજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી એવા વૈજયંતીબેન વાઘેલાની વિભાગમાં નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વૈજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે.






Latest News