મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી


SHARE











હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યારે ત્યાં મુખ્ય દરવાજાનું તાળું રસોડામાં અભેરાઈ ઉપર પડેલ ડબ્બામાંથી ચાવી મેળવીને ખોલી નાખ્યું હતું અને ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરી અને ટંકના લોક-નકુચા તોડીને તેમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ ૨૫,૦૦૦ રોકડા આમ કુલ મળી ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ તરીકે ઓળખાતી સીમમાં સુરેશભાઈ કરસનભાઈ ડાભી જાતે કોળી (૩૩) નામના યુવાનની વાડી આવેલ છે અને તે વાડીના અંદર તેમણે રહેણાંક મકાન બનાવેલ છે આ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાની ચાવી ત્યાં અભેરાઈ ઉપર પડેલા ડબ્બામાંથી મેળવીને દરવાજો ખોલી રૂમમાં અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીનો લોક તોડી નાખ્યો હતો અને ટંકના તાળા અને નકુચા તોડી નાખીને તેમાંથી ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ છ તોલા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ અને રોકડા રૂપિયા ૨૫,૦૦૦ આમ કુલ મળીને ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સુરેશભાઈ ડાભી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ કે. એચ. અંબારિયા ચલાવી રહ્યા છે






Latest News