ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

દ્વારકા સાથે દર્શન કરીને આવ્યા બાદ હળવદના ચુંપણી ગામેથી કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીકિને કરી આધેડની હત્યા


SHARE











દ્વારકા સાથે દર્શન કરીને આવ્યા બાદ હળવદના ચુંપણી ગામેથી કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીકિને કરી આધેડની હત્યા

હળવદ તાલુકાના ચુંપણી ગામેથી બે કૌટુંબિક ભાઈઓ ચારેક દિવસ પહેલાં દ્વારકા અલગ-અલગ બાઈક લઈને દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારે આધેડ તેના કૌટુંબિક ભાઈનો સંગાથ કરવા રહેલ ન હતા જે બાબતનું મનદુખ રાખીને તેને પોતાની વાડીના સેઢે નહીં ચાલવાનું કહી આધેડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે છરીના પેટ, છાતી પડખાના ભાગે આડેધડ ઘા ઝીકિ દીધા હતા જેથી આધેડનું મોત નીપજયું હતું અને એક મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક આધેડના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકિયા (૫૫) અને તેના કૌટુંબિક ભાઈ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયા તેઓના ગામના ઝાપા પાસે હતા ત્યારે ત્યાં રામાભાઈ મોહનભાઈ ઓળકિયા ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે છાતી, પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને રામાભાઇ મોહનભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા ભરતભાઈ રામાભાઈ ઓળકિયા (૩૨) રહે. ચુંપણી વાળાએ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચારેક દિવસ પહેલા અલગ અલગ બાઈકમાં તેઓના પિતા રામાભાઇ અને તેના કૌટુંબીક કાકા ગણેશભાઈ દ્વારકા ગયા હતા ત્યારે ફરિયાદીના પિતા રામાભાઇ આરોપીનો સંગાથ કરવા માટે રહેલ ન હતા અને તે બાબતનું મનદુખ રાખીને ગણેશભાઈએ પોતાની વાડીના શેઢે નહીં ચાલવાનું કહ્યું હતું અને છરી વડે તેના ઉપર હુમલો કરી છાતી, પેટ અને પડખાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને જમણા હાથની હથેળીમાં છરી મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મૃતક આધેડા મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે






Latest News